રામ નવમી પર હાર્દિક શુભકામનાઓ

આજે રામ નવમી છે. મર્યાદા પુરષોત્તમ પ્રભુ તો શ્રી રામચંદ્રજી નો જન્મદિવસ.

આપણી ભરતીય પ્રજાની ખાસિયત છે. ભગવાન બનાવી દેવાની. પછી ભલે તે સ્વયમ ઈશ્વર હોય કે સારા કાર્ય કરનાર કોઈ મનુષ્ય. ભારતની પ્રજા તરતજ તેને ભગવાન બનાવી દેશે, પૂજવા લાગશે. પાંચ, દશ કે પચાસ વર્ષ પછી કોઈને ખબર પણ નહિ હોય કે શા માટે આની પૂજા થાય છે. બસ એ ભગવાન છે એટલે. કદાચ આમાં આપણી પલાયનવાદી વૃત્તિ પણ કામ કરે છે. ગમે તે સમસ્યા હોય, ઈશ્વર ની રાહ જોવી, ઈશ્વરને તે સોપી દેવું, ઈશ્વર પાસે દોડી જવું, આ વૃત્તિ બે કારણે હોય શકે.

૧) અતુટ શ્રદ્ધા અને ભક્તિ. જેમકે મીરાં અને નરસિંહ. જીવાડે તો પણ તે અને મારે તો પણ તે.

૨) પલાયનવાદી લોકો કે જે પોતે કશું કરી શકે તેમ ના હોય એટલે ઈશ્વર પર છોડી દે. આવા લોકો હોટેલ માં બેસી પાર્ટી કરતા હોય ત્યારે ભગવાન યાદ નથી આવતો પણ છાપા માં ભૂખમરાના અહેવાલો વાંચીને કહે છે. “રે કલિયુગ. હવે તો ભગવાન અવતાર લે તો સારું”. સમસ્યાઓનો અંત લાવવાની દાનત તેઓમાં ક્યારેય હોતી નથી.

કોઈ પણ ઈશ્વર કઈ અમસ્તાજ નથી પૂજાતા હોતા. પછી ભલે તે ઈશ્વર સ્વયમજ કેમ ના હોય. કૃષ્ણ એ કંસ માર્યો એટલે એના મંદિરો છે નહીકે તે ઈશ્વર છે એટલા માટે. રામે રાવણને માર્યો એટલા માટે તેના મંદિરો છે નહીકે તે દશરથ ના પુત્ર હતા એટલે. વિવેકાનંદ ને એટલે લોકો પુજે છે કે તેમણે આખા વિશ્વ માં ભારતના અધ્યાત્મિક જ્ઞાનનો ઝંડો લહેરાવ્યો હતો. પ્રમુખ સ્વામી એટલા માટે પુજાય છે કે દુનિયા ભરમાં કરોડો કરોડો સંતો, સેવકો અને ભક્તો ને અધ્યાત્મિક દોરવણી આવપવની અભુપૂર્વ ક્ષમતા તેમનામાં છે.

પણ આપણે લોકોને કોઈ પણ વ્યક્તિવિશેષ માંથી કશું શીખવા કરતા તેને ભગવાન બનાવી તે વ્યક્તિનું અને આપણા અધ:પતન ના રસ્તા તૈયાર બનાવવામાં વધુ મજા આવે છે.

ખેર શ્રીરામચંદ્રજીના જીવન માટે કઈ લખવું તેતો બહુ અઘરું છે. છતાં મારી સમાજથી મને જે બે-ચાર મુદ્દા સારે લાગે છે તે અહી લખું છું.

૧) રાવણ સામે લડો, કૈકૈ સાથે નહિ. રામ નો શું ગુનો હતો કે વનમાં જવું પડ્યું? કશો નહિ. જો તે ધારેત તો કૈકૈ ના વચન નો વિરોધ કરી શક્યા હોત. પોતે અત્યંત લોકપ્રિય હતા. અન્ય ભાઈઓ અને પ્રજામત તેમની સાથે હતો. પોતે ધારેત તો કૈકૈ ના આદેશ વિરુદ્ધ જઈ શકેત. પોતાનો રાજ્યાભિષેક કરાવી શકેત. પણ તેનાથી ફાયદો શો? માણસનો અસલી શત્રુ રાવણ છે કૈકૈ નહિ. ઘરમાં સ્ત્રી, પિતા, કે માતા સામે બાયો ચડાવવા કરતા બહાર સાચા દુશ્મનો સામે કેમ ના લડવું?

૨) લીડરશીપ. દુનિયાનો કોઈ મેનેજમેન્ટ ગુરુ શું રામ જેવી લીડરશીપ શીખવી શકે ખરા. અસંભવ. દુનિયાની કોઈ પણ કંપનીનો ચેરમેન શું માત્ર એક મહિનો પોતાના કર્મચારીને પગાર નાં આપે અને છતાં દરેક કર્મચારી કામ કરે તેવું બને ખરું? અસંભવ. આ લીડરશીપ રામ પાસે છે. આંખની પણ ઓળખાણ વગર હજારો, લાખો, વ્યક્તિઓ, પશુઓ, અને પક્ષીઓ રામ માટે લડવા અને મરવા તૈયારે થઇ જાય તેનું કોઈ તો કારણ હશેને? કદાચ આનેજ લીડરશીપ કહેવાય. અને એટલેજ તે રામ છે.

જયશ્રી રામ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *