ભુખ બોલે છે…..

ઓલો અભાગીયો આઈવો અમેરિકાથી એમાં કેટલા રુપયા વાપર્યા. આયા કોઈની પાહે ખાવાના ય પયસા નથ. માણસો મરી જાય સે. આ લોકો ને ભગવાન નો ય ડર નય હોય? આ સાપા વાળા કેતાતા ધાન હન્ઘરી રાખ્યુંસે આ બધાયે. કોઈ ને ખાવાય નાથ દેતા. નય સુખી થાય. આ સરકારની એકેય પેઢીયું નય સુખી થાય. આ બધાય ના સોકારવ જોજો ભૂખે ટળવળતા મારવાનાસ.

આવું આજે ગામના એક ડોશીમા આંખમાં આંસુ સાથે બોલતા હતા. શહેરોની ચમક દમક માં જીવનારા આપણને કદાચ તેમની વાતો વધુ પડતી કે “ગામઠી” લાગે. પણ ભારતની ૮૦% પ્રજા આ હાલતમાં જીવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *